Posts

Showing posts from 2021

નગરપાલિકા એટલે શું?

Image
  નગરપાલિકાના કાર્યો, સત્તા અને જવાબદારી વિશે વીશેષ  નગરપાલિકા એટલે શું?   સત્તાનુ વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે બંધારણમાં ૭૩મો અને ૭૪મો સુધારો કરી ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. નાના-નાના કામ માટે  પ્રજાને ઉપરી કચેરી સુધી લાંબુ ન થવુ પડે એટલા માટે સત્તાનુ વિભાજન કરી સ્થાનિક લેવલ ઉપર સ્વાયત્ત સંસ્થાઓને સત્તા આપવાની બંધારણીય જોગવાઈ છે. નગરપાલિકાઓ અને પંચાયતો પ્રજાને મહત્તમ સેવાઓ પુરી પાડવા માટે હોય છે પરંતુ નાગરિક તરીકે આપણે કાયદાઓ જાણતા ન હોવાના કારણે આપણી સાથે અન્યાય થાય છે. બોલે ગુજરાત કાયદાકીય જાગૃતિ ફેલાવવાનુ કામ કરે છે જેમા આજે આપણે નગરપાલિકા વિશે જાણવાનો પ્રયાસ કરીશુ. નગરપાલિકા એટલે શું? નગરપાલિકા એ શહેરી/ટાઈન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે ...

આયર્લેન્ડ લોકશાહી નું જ્વલંત ઉદાહરણ છે.

Image
આયર્લેન્ડ લોકશાહી નું જ્વલંત ઉદાહરણ છે ત્યાંનું લોકતંત્ર પોપ્યુલીઝ્મ નો અભીગમ ધરાવે છે. જેમાં કોઈપણ ચૂંટાયેલી લોકતાંત્રિક સરકાર એવું માને છે કે, સામાન્ય લોકો ના અધિકાર પર એલિટ લોકોનો સીધો કે આડકતરો કબ્જો હોય છે. લોકતંત્રમાં આવી સ્થિતિ હરગીઝ ન હોવી જોઈએ.  એટલે સરકારમાં ચુંટાયેલા પ્રતિનિધિ પર એ જવાબદારી છે કે તેણે સામાન્ય લોકો જેવો જ જાહેરમાં વ્યવહાર કરવો જોઈએ. આયર્લેન્ડ ના પ્રધાનમંત્રી આ અભિગમ ને સાર્થક કરવા સાયકલ ચલાવી ઓફિસે જાય છે. અને તે દરમ્યાન કોઈ સામાન્ય નાગરિક તેમને હાથ ઊંચો કરી “હેલ્લો” કહે તો તેમને આ અભિવાદન ઝીલી સામે સસ્મિત પ્રત્યુતર આપવો પડે છે. જો આવું ના કરે તો મોટો વિવાદ થઈ શકે છે.  ભારતમાં પણ આવી વ્યવસ્થા થઈ શકે પણ ભારતના નાગરિકો પોતાને પ્રજા માને છે. અને જ્યાં પ્રજા હોય ત્યાં રાજા હોય. આપણને એક કુટેવ પડી છે આપણાથી કોઈ ઉપર હોય તેને રાજા સમજીએ છીએ. અહીં લોકતંત્રનું મહત્વ અને પોતાના અધિકારો અને હક્કો ના જાણતો સામાન્ય માણસ પટ્ટાવાળા ને, પટાવાળો ક્લાર્કને, ક્લાર્ક હેડ ક્લાર્ક ને, હેડ ક્લાર્ક અધિકારીને, અધિકારી સચિવ ને, સચિવ નેતાને, અને નેતા પ્રધાનમંત્રીને, અને પ્રધાન...

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

Image
એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો પરમ ભકત શ્રી ભાટી હરજી ને ભાદરવા સુદ બીજના દિવસે સવરા મંડપમાં પીર રામદેવજી નિજાર પ્રબોધ સંભળાવે છે.               II ભજનઃ આરાધ -અર્થ સહિત  II         એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો એજી તમને કહ્યું તે વચનમાં ચાલો રે હા...  અર્થ: સવરા મંડપમાં બીરાજમાન પીર રામદેવજી મહારાજ ભાટી હરજી ને સંબોધીને કહે છે કેઃ હે હરજી તમે તો ભકત ઉધ્ધવજીના અવતાર છો માટે નિજારી ભક્તિ (આત્મ સ્વરૂપમાં મસ્ત પ્રેમ ભક્તિ) કરો તો પહેલા નિજાર ભકિત યોગનાં અગમ ભેદ ને જાણો. જે બુદ્ધિની સીમાથી પર છે. એવો અગમ દેશ છે કે જયાં બુદ્ધિ પણ નથી પહોંચી શકતી. જેને આદિ અનાદિ મહાપુરૂષો એ સાધન સિધ્ધ કરેલ છે એવા અગમ રહસ્યને જાણો. હે હરજી ! એવા અગમ દેશના ભેદને પુરી રીતે જાણો અને હું તમને જે સત વચન કહું તેને સત્ય માનીને એના આધાર પર આગળ વધો.                                   II ભજન II એવો ધર્મ જનોને હરજી, નિજાર પંથ આદિજુગનો રે એજી ત...